Proverbs 23
1જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે,ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
2જો તું ખાઉધરો હોય,
તો તારે ગળે છરી મૂક.
3સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા,
કારણ કે તે કપટી ભોજન છે.
4ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
5જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે
અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે
અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
6કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
7કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે.
તે તને કહે છે, “ખાઓ અને પીઓ!”
પણ તેનું મન તારા પ્રત્યે નથી.
8જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે
અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
9મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
10પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ
અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
11કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે
તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
12શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
13બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
14જો તું તેને સોટીથી મારીશ,
તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
15મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
16જ્યારે તારા હોઠો નેક વાત બોલશે,
ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
17તારા મનમાં પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે. 18ત્યાં ચોક્કસ ભવિષ્ય છે
અને તારી આશા સાર્થક થશે.
19મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
20દ્રાક્ષારસ પીનારાઓની
અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
21કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે
અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
22તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
23સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ;
હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
24નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
25તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર
અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
26મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
27ગણિકા એક ઊંડી ખાઈ છે
અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
28તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે
અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
29કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે?
કોની આંખોમાં રતાશ છે?
30જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને,
જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.
31જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય
અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
32આખરે તે સર્પની જેમ કરડે છે
અને નાગની જેમ ડસે છે.
33તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે
અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
34હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ.
તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ.
હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”
35
Copyright information for
GujULB